Cli

આમિર ખાને આખરે ખુલાસો કર્યો કે તે ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં કેમ ગયો નહીં!

Uncategorized

બોલીવુડના મહાન કલાકાર ધર્મેન્દ્રના અવસાનથી આખું ફિલ્મ જગત ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયું છે. 27 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં શાહરુખ ખાન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય સહિત અનેક કલાકારો જોડાયા હતા.

જોકે આમિર ખાન ત્યાં હાજર ન હતા. હવે તેમણે જાતે જ જણાવ્યું કે તેઓ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા કેમ પહોંચી શક્યા નથી.આમિર ખાને જણાવ્યું કે આ દિવસોમાં હું 56મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા IFFIમાં હાજરી આપવા માટે મુંબઈમાં નથી.

તેથી જ હું તેમની પ્રાર્થના સભા ચૂકી રહ્યો છું અને આ મારા માટે મોટી બદનસીબી છે. ગયા એક વર્ષમાં હું ધર્મેન્દ્રજીને અનેક વાર મળ્યો છું. લગભગ સાતથી આઠ વખત હું તેમના ખૂબ નજીક આવ્યો હતો અને વારંવાર તેમની સાથે બેસીને સમય પસાર કરતો હતો. તેથી પ્રાર્થના સભા ચૂકી જવું તેમને ખૂબ ખલતી વાત છે.આમિર ખાને એક રસપ્રદ પ્રસંગ પણ શેર કર્યો.

તેમણે કહ્યું કે હું ધર્મેન્દ્રજીને જોઈને મોટો થયો છું. લોકો તેમને માત્ર એક્શન સ્ટાર માને છે અને તેઓ તેમાં અદભૂત હતા, પરંતુ મને લાગે છે કે તેમને ઘણા જુદા-જુદા પ્રકારના રોલમાં ઓછું આંકવામાં આવ્યા. રોમાંસ હોય કે અલગ પ્રકારની ભૂમિકાઓ, તેમણે દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કર્યું છે.હમણાં આમિર ખાનના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? અમને જરૂરથી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *