હું એ કહીશ કે તમે લોકો તમારું કામ કરો છો. પરંતુ સાથે-સાથે મહેરબાની કરીને એ પણ ન ભૂલો કે અમે પણ માણસ છીએ અને મીડિયા તથા આર્ટિસ્ટનો એક સરખો સંબંધ હોય છે અને તેને રિસ્પેક્ટ આપી શકાય છે. જેમ અમે તમને રિસ્પેક્ટ આપીએ છીએ, તમારે પણ અમને રિસ્પેક્ટ આપવી જોઈએ. ખાસ કરીને એવી ક્ષણોમાં જે ખૂબ જ નાજુક અને ઘણો મુશ્કેલ સમય હોય છે. જ્યારે માણસ દુઃખમાં હોય છે કે સ્ટ્રેસમાં હોય છે, તે સમયે ઘણા લોકો પોતાનામાં રહેવા માંગે છે. તેથી મને લાગે છે
કે એ બાબતનું સન્માન થવું જોઈએ. જે મેં જીજાઉનું પાત્ર ભજવ્યું, શિવાજી મહારાજ વિશે હું શું કહું જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. બાળપણમાં જે વાર્તાઓ આપણને આપણા દાદા-દાદી અને નાના-નાની પાસેથી મળે છે, તો આપણે એમાં જ મોટા થયા છીએ. હું મહારાષ્ટ્રથી આવું છું તો આ બધી વાર્તાઓ અમે સાંભળેલી છે. અને મને લાગે છે કે એ પાત્ર ભજવવા સક્ષમ બનવું,
એ મારા માટે બહુ મોટી વાત હતી, એ ઘણું વિનમ્ર કરનારું હતું અને મને લાગે છે કે તમારા લોકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી જ આ શક્ય બન્યું કે મને આવું અદ્ભુત પાત્ર ભજવવાની તક મળી. અને ખાસ કરીને જીજાબાઈ વિશે એવું કહેવાય છે કે જેને આજકાલ લોકો ફેમિનિઝમ કહે છે, તે જીજાબાઈના સમયમાં એવું હતું કે પુરુષ અને સ્ત્રીમાં એવો કોઈ ભેદ નહોતો.
સ્ત્રીઓને પણ પોલિટિકલ સ્ટ્રક્ચર, એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર આ બધું શીખવવામાં આવતું હતું. અને જીજાઉ એવા સ્થાન અને સમયમાંથી આવતા હતા જ્યાં એક સ્ત્રી માત્ર પોતાનું ઘર-પરિવાર જ નહોતી સંભાળતી પરંતુ એડમિનિસ્ટ્રેશન (વહીવટ) પણ કરી શકતી હતી. જ્યારે તેમના પતિ યુદ્ધ પર જતા હતા ત્યારે આખા રાજ્યનું કલ્યાણ અને વહીવટ તે બધું સંભાળતી હતી. તો જે નેતૃત્વના ગુણો હોય છે તે તે સમયે દરેક સ્ત્રીને પણ સમજાવવામાં આવતા હતા. યુદ્ધકળા શું હતી તે સમજાવવામાં આવતું હતું. તો મને લાગે છે કે એ વસ્તુ પાછી આવવી જોઈએ જ્યાં આ તકો, આ શિક્ષણ મને લાગે છે કે સ્ત્રીઓને પણ મળવું જોઈએ.