અર્ચના પૂરન સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી સક્રિય છે. આ દરમિયાન તેમણે લગ્ન કર્યા, ઘર વસાવ્યું, સંતાનોને જન્મ આપ્યો અને સાથે સાથે પોતાનો કરિયર પણ સંભાળ્યો. એક મહિલા તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલા લાંબા સમય સુધી કરિયર જાળવી રાખવું ખરેખર ખૂબ મુશ્કેલ છે. અર્ચના પૂરન સિંહ માટે પણ આ સફર ક્યારેય સરળ રહી નથી.કરિયર બનાવવું જેટલું મુશ્કેલ હોય છે, એટલી જ મુશ્કેલીઓ તેમને પોતાની પર્સનલ લાઇફમાં પણ સહન કરવી પડી.
હકીકતમાં અર્ચના પૂરન સિંહે તાજેતરમાં ખુલાસો કર્યો કે જ્યારે તેઓ પોતાની જિંદગીના સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહી હતી, એ સમય એવો હતો કે જે તેમને અંદરથી તોડી નાંખે એવો હતો, ત્યારે તેમના પતિ પણ તેમને સંભાળવા માટે તેમની સાથે નહોતા.અર્ચના પૂરન સિંહે પોતાના દિલનો દુઃખ ફેન્સ સાથે શેર કરતા જણાવ્યું કે જ્યારે તેઓ પહેલી વખત પ્રેગ્નન્ટ થઈ હતી, ત્યારે તેઓ એક ફિલ્મ પર કામ કરી રહી હતી. તેમને લાગતું હતું કે બાળક માટે હવે મોડું ન થવું જોઈએ. તેમની ઉંમર ૩૪ વર્ષની હતી અને તેમને લાગતું હતું કે બહુ સમય નીકળી ગયો છે.
એટલે જ તેઓ બાળક માટે પ્રયત્ન કરી રહી હતી. પ્રેગ્નન્ટ થવું તેમના માટે સૌથી મોટી ખુશી હતી, પરંતુ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ તેમનો મિસકેરેજ થઈ ગયો. આ ઘટનાએ તેમને અંદરથી સંપૂર્ણ રીતે તોડી નાંખ્યા.આ દુઃખમાંથી સંભળી તેઓ ફરીથી પોતાના કરિયરમાં સક્રિય થઈ, અને એ દરમિયાન જ્યારે તેઓ બેન્કોકમાં એક શો કરી રહી હતી, ત્યારે તેમને જીવનની સૌથી ખરાબ ખબર મળી કે તેમના પિતાનું અવસાન થઈ ગયું છે. કામ પૂરું કરીને જ્યારે તેઓ ભારત પરત આવી, ત્યારે તેમના પિતાની અંતિમવિધિ થઈ ચૂકી હતી.
તેઓ પોતાના પિતાનું ચહેરું પણ જોઈ શકી નહોતી.આ સમય દરમિયાન અર્ચના પૂરન સિંહને પોતાના શરીરમાં અજીબ લાગણીઓ થવા લાગી અને વિચિત્ર ક્રેવિંગ્સ થવા લાગી. બાદમાં તેમને ખબર પડી કે તેઓ ફરીથી પ્રેગ્નન્ટ છે. એક તરફ તેઓ ખૂબ ખુશ હતી કે ફરીથી માતા બનવાની છે, પરંતુ બીજી તરફ ડરી પણ રહી હતી, કારણ કે અગાઉ મિસકેરેજ થઈ ચૂક્યો હતો. આ વખતે અર્ચનાએ પોતાનું ખૂબ ધ્યાન રાખ્યું.પરંતુ આ સમય દરમિયાન પરમીત સેઠી તેમની સંભાળ લેવા માટે તેમની સાથે રોકાતા નહોતા. આ જ વાતચીત દરમિયાન પરમીત સેઠીએ ખુદ સ્વીકાર્યું કે જ્યારે અર્ચના પહેલી વખત પ્રેગ્નન્ટ હતી અને બાળકને જન્મ આપવા જઈ રહી હતી, ત્યારે તેમનો ફોકસ પોતાના કરિયર અને ફૂટબોલ પર હતો.
તેમને યાદ છે કે અર્ચના બેડ પર આરામ કરતી રહેતી હતી અને તેઓ ફૂટબોલ રમવા માટે નીકળી જતા હતા.પરમીત સેઠીએ આજે પણ આ વાતનો અફસોસ વ્યક્ત કર્યો કે તેઓ અર્ચનાને પર્સનલ લાઇફમાં, બાળકોની દેખરેખમાં અને તેમની પરવરિશમાં પૂરતો સપોર્ટ આપી શક્યા નહીં. તેમણે પોતાને એક ખરાબ પતિ પણ ગણાવ્યો. તેમનું કહેવું હતું કે તે સમયે તેમની ઉંમર અને સમજ એટલી નહોતી કે પાર્ટનરને કેવી રીતે કમ્ફર્ટ ફીલ કરાવવું, તેનો ખ્યાલ કેવી રીતે રાખવો. અને આ જ કારણે તેમણે અજાણતા અર્ચનાને તેમના જીવનના સૌથી ખરાબ સમયમાં એકલા છોડી દીધી.