Cli

સંજય ગાંધીથી અજિત પવાર સુધી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આઠ રાજનેતા!

Uncategorized

સંજય ગાંધીથી વિજય રૂપાણી અને અજિત પવાર સુધી: પ્લેન ક્રૅશમાં જીવ ગુમાવનારા આઠ રાજનેતા

બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં ઍરપૉર્ટ ઉપર ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર સહિત પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.મૃતકોમાં પવારની સાથે તેમના અંગત સુરક્ષા અધિકારી, અંગત સહાયક, ફ્લાઇટ ઑફિસર તથા પાઇલટ પણ સામેલ હતા.ઑપરેટર વીએસઆર દ્વારા સંચાલિત VTSSK, LJ45 પ્રકારનું વિમાન રનવે ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જે બાદ તેમાં આગ લાગી ગઈ હતી.નોંધનીય છે કે આ પહેલાં પણ કેટલાક રાજકારણીઓ હવાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. કેટલાક હેલિકૉપ્ટર તો કેટલાક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

સંજય ગાંધી ભારતનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના પુત્ર હતા. સંજય ગાંધીને ઉડાનનો ખૂબ શોખ હતો.23 જૂન, 1980ના રોજ, તેઓ દિલ્હીના સફદરજંગ ઍરપૉર્ટ પર એક ખાનગી વિમાન ચલાવી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ક્રૅશ થયું.આ વિમાનમાં તેમની સાથે તેમના સહ-પાયલટ સુભાષ સક્સેના પણ હતા. વિમાન ક્રૅશ થતાં બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું

સંજય ગાંધીને 1976માં હળવા વિમાન ઉડાડવાનું લાઇસન્સ મળ્યું.ઇંદિરા ગાંધી સરકાર ગઈ અને જનતા પાર્ટીની સરકાર આવી પછી તેમનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. ઇંદિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા પછી તેમને ફરીથી નોકરી પર રાખવામાં આવ્યા હતા.તેમણે 23 જૂન, 1980ના રોજ સવારે 7:58 વાગ્યે દિલ્હીના સફદરજંગ ઍરપૉર્ટથી ઉડાન ભરી.

30 સપ્ટેમ્બર, 2001ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાવ તાલુકા નજીક મોટામાં એક વિમાન દુર્ઘટનામાં કૉંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું હતું. સિંધિયા એક સભાને સંબોધવા કાનપુર જઈ રહ્યા હતા.તેમની સાથે વિમાનમાં છ અન્ય લોકો પણ હતા. જિંદાલ ગ્રૂપના 10-સીટર ચાર્ટર્ડ વિમાન ‘સેસ્ના C90’એ નવી દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી.

તારીખ 2 સપ્ટેમ્બર, 2009 ના રોજ, આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી, વાયએસ રાજશેખર રેડ્ડી, સવારે 8:38 વાગ્યે હેલિકૉપ્ટર દ્વારા બેગમપેટથી નીકળ્યા.તેઓ ચિત્તૂર જિલ્લામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હતા.સમયપત્રક મુજબ, તેઓ સવારે 10:30 વાગ્યે ત્યાં પહોંચવાના હતા. પરંતુ તેઓ ક્યારેય ત્યાં પહોંચ્યા નહીં.મુખ્ય મંત્રીના હેલિકૉપ્ટર ગાયબ થવાની ઘટના રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. કેન્દ્ર સરકારને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

30 એપ્રિલ, 2011ના રોજ, ઇટાનગરથી તવાંગ જતું એક હેલિકૉપ્ટર ગુમ થઈ ગયું હતું, જેમાં અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી દોરજી ખાંડુ અને અન્ય ચાર લોકો સવાર હતા.પાંચ દિવસની ભારે શોધખોળ બાદ, શોધ ટીમોને તેમના હેલિકૉપ્ટરના અવશેષો મળ્યા.ખાંડુ ચાર સીટર સિંગલ એન્જિન પવન હંસ હેલિકૉપ્ટર AS-B350-B3 માં મુસાફરી કરી રહ્યા હતા.દોરજી ખાંડુને લઈ જઈ રહેલા હેલિકૉપ્ટરનો કાટમાળ અરુણાચલ પ્રદેશના લુગુથાંગ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી 4900 મીટરની ઊંચાઈ પર મળી આવ્યો હતો.પર્વતીય, બરફથી ઢંકાયેલા પ્રદેશમાં પાંચ દિવસ સુધી ચાલેલી શોધમાં ભારત અને પડોશી ભૂટાનનાં 3,000 સુરક્ષા દળો સહિત 10,000 થી વધુ લોકો સામેલ થયા હતા.ફાઇટર જૅટ અને લશ્કરી હેલિકૉપ્ટરની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.તવાંગથી ઉડાન ભર્યાના 20 મિનિટ પછી તેમનું હેલિકૉપ્ટર ગુમ થઈ ગયું. શોધ ટીમને પાંચમા દિવસે ક્રૅશ થયેલા હેલિકૉપ્ટરનો કાટમાળ અને તેમાં સવાર તમામ પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા.

31 માર્ચ, 2005ના રોજ, પ્રખ્યાત સ્ટીલ ઉદ્યોગપતિ અને રાજકારણી ઓપી જિંદાલનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું.તેમની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બંસીલાલના પુત્ર સુરેન્દ્રસિંહ પણ હતા. તેમની સાથે પાઇલટનું પણ મૃત્યુ થયું.તે સમયે, ઓપી જિંદાલ હરિયાણામાં ચૂંટાયેલી કૉંગ્રેસ સરકારમાં ઊર્જા મંત્રી હતા, જ્યારે સુરેન્દ્રસિંહ કૃષિ મંત્રી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *