એક્ટ્રેસ સુધા ચંદ્રનની બે દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. માતાની ચોકીમાં સુધા ચંદ્રન રડતી જોવા મળી હતી અને એક વ્યક્તિના હાથ પર કાટા મારતી પણ નજરે પડી હતી. તે દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે જાણે સુધા ચંદ્રન પોતે ન હોય અને તેમના શરીરમાં કોઈ બીજું જ પ્રવેશી ગયું હોય. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
કેટલાક લોકોએ કહ્યું કે તેમની તબિયત તો બરાબર લાગે છે તો કેટલાકે કહ્યું કે આ બધું માત્ર એક્ટિંગ છે, એ સિવાય કશું નથી.હવે આ વીડિયો પર થયેલી ટ્રોલિંગ અને પબ્લિક રિએક્શન અંગે સુધા ચંદ્રને પોતાની ચુપ્પી તોડી છે અને જણાવ્યું છે કે તે દિવસે એવું શું થયું હતું કે તેઓ તે વ્યક્તિને કાટા મારવા લાગી અને જોરજોરથી રડવા લાગી. સુધા ચંદ્રને કહ્યું કે આ ભગવાન સાથે જોડાવાનો તેમનો પોતાનો રસ્તો છે. જે લોકો આ બાબતમાં વિશ્વાસ રાખે છે તેઓ સુધા ચંદ્રનને સમજશે.
અને જે લોકો તેમને ટ્રોલ કરે છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. ચાર લોકો શું કહેશે એ બાબત તેઓ ક્યારેય વિચારતી નથી.તેમનું કહેવું છે કે તેમની સાથે જે કંઈ થયું કે જે વીડિયો વાયરલ થયો, તેનો તેમને જરા પણ ફરક પડતો નથી. લોકોના મતથી પણ તેમને કોઈ અસર થતી નથી. તેમનું માનવું છે કે ભગવાનમાં માનનારો દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં આવો અનુભવ મેળવવા માંગે છે અને દરેક ઈચ્છે છે કે ભગવાન સાથે આ રીતે જોડાઈ શકે.
આ અનુભૂતિ તેમના માટે મહત્વની છે. બાકી લોકો શું કહે છે એ તેમના માટે મહત્વનું નથી.સુધા ચંદ્રને કહ્યું કે જ્યારે તેમનો એક્સિડન્ટ થયો હતો ત્યારે પણ લોકોએ તેમના વિશે ઘણું બધું કહ્યું હતું. પરંતુ એ તમામ વાતોને પાછળ છોડીને તેઓ આગળ વધ્યા અને આજે એ જ વાતો તેમની સફળતાની કહાનીનો ભાગ બની ગઈ છે. તેથી આવા બાહ્ય શબ્દોથી તેઓ બિલકુલ અસર પામતી નથી. તેઓ ભગવાનમાં ખૂબ માન રાખે છે
અને આ તેમનો ભગવાન સાથે જોડાવાનો રસ્તો છે.સુધા ચંદ્રન એક ઉત્તમ અભિનેત્રી છે. તેમણે પોતાની જિંદગીમાં એક બહુ ભયાનક અકસ્માતનો સામનો કર્યો છે. આ અકસ્માતમાં તેમણે પોતાનો એક પગ ગુમાવ્યો હતો. સુધા ચંદ્રન એક નૃત્યાંગના છે અને લોકોએ કહ્યું હતું કે પગ ગુમાવવાના કારણે તેઓ ક્યારેય નૃત્ય કરી શકશે નહીં. પરંતુ તેમનો તૂટેલો પગ પણ તેમના નૃત્યને રોકી શક્યો નહીં. પ્રોસ્ટેટિક પગ લગાવીને સુધા ચંદ્રન આજે પણ એક શાનદાર ડાંસર છે અને પોતાના નૃત્યને પહેલાની જેમ જ આનંદ સાથે જીવે છે.