Cli

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર આઈ.સી.યુ.માં દાખલ ! કેચ પકડતાં થઈ ગંભીર ઈજા

Uncategorized

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર આઈ.સી.યુ.માં દાખલ થયા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન તેમને ડાબી પાંજરામાં ગંભીર ઈજા થતાં આંતરિક રક્તસ્ત્રાવ (Internal bleeding) થયો હતો. આ ઈજા કેચ લેતી વખતે થઈ હતી. હાલમાં તેઓ સિડનીના એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,

જ્યાં ફેન્સ અને પરિવારજન તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.રિપોર્ટ મુજબ, શ્રેયસ અય્યર શનિવાર, 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચમાં બેકવર્ડ પોઇન્ટ પરથી પાછળ દોડી એલેક્સ કેરીનો અદ્ભુત કેચ લેતા તેમની ડાબી પાંજરામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડૉક્ટરોએ તપાસમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું જણાતા તેમને આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે.શ્રેયસ અય્યરનો જન્મ 6 ડિસેમ્બર 1994ના રોજ મુંબઈની એક મધ્યવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા સંતોષ અય્યર બિઝનેસમેન છે અને માતા રોહિતી અય્યર ગૃહિણિ છે.

તેમની એક નાની બહેન છે – શ્રેષ્ઠા અય્યર, જે પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેમનો પરિવાર મૂળ કેરળના ત્રિશુરનો રહેવાસી છે.શ્રેયસ અય્યરના પિતાએ તેમની ક્રિકેટ કારકિર્દી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને પુત્રને પ્રેક્ટિસ માટે લઈ જતા અને હંમેશા પ્રોત્સાહિત કરતા. તેમની માતા અને બહેન પણ શ્રેયસને સંપૂર્ણ સપોર્ટ આપતા.હાલ શ્રેયસ અય્યર ભારતીય વન-ડે ટીમના ઉપ-કપ્તાન છે અને હંમેશા પોતાના પરિવારને ગર્વ અનુભવાડ્યો છે. પરંતુ હાલ તેઓની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ છેલ્લા કેટલાક દિવસોથી આઈ.સી.યુ.માં છે.

તેમની તબીબી તપાસ બાદ આંતરિક રક્તસ્ત્રાવની પુષ્ટિ થઈ હતી. ડૉક્ટરો અનુસાર, તેમને 2 થી 7 દિવસ સુધી ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે, અને હાલ તેમની ક્રિકેટમાં વાપસી અંગે ચોક્કસ સમયરેખા આપવી મુશ્કેલ છે.બી.સી.સી.આઈ.એ સોમવારે જાહેર કર્યું કે સ્કેનમાં તેમની પાંજરામાં ઈજા હોવાનું જણાયું છે. તેમની હાલત સ્થિર છે અને તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *