Cli

પીઢ અભિનેતા સતીષ શાહનું મૃત્યુ કેવી રીતે થયું?

Uncategorized

બોલિવુડમાંથી આ વખતે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન સતીશ શાહ હવે આપણાં વચ્ચે નથી રહ્યા. સતીશ શાહનું નિધન થઈ ગયું છે. આજે બપોરે 2:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.

મળેલી માહિતી મુજબ, સતીશ શાહ કિડની સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા. તેમનું અંતિમ સંસ્કાર આવતીકાલે 26 ઑક્ટોબરે કરવામાં આવશે. હાલ તેમનું પાર્થિવ શરીર હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યું છે.સતીશ શાહ 74 વર્ષના હતા. માત્ર એક અઠવાડિયામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચારે તરફથી આઘાત પહોંચ્યો છે

— પહેલા સિંગર ઋષભ ટંડન, પછી અસ્રાણી, ત્યારબાદ પી.યૂષ પાંડે અને હવે સતીશ શાહ. એક અઠવાડિયામાં ચાર દિગ્ગજોના અવસાનથી ફિલ્મ જગત શોકમાં છે.સતીશ શાહે પોતાના કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ઘરઘર સુધી લોકપ્રિય બનાવનાર ટીવી શો સારાભાઈ વર્સેસ સારાભાઈમાં ઈન્દ્રવદન સારાભાઈ એટલે કે ઈંદુની ભૂમિકા હતી. આ કોમેડી શોમાં તેમનું અભિનય અદભૂત હતું. આજે પણ તેમના આ શોના ક્લિપ્સ Instagram પર વાયરલ થાય છે.સતીશ શાહનો જન્મ ગુજરાતના માંડવીમાં થયો હતો.

તેમણે ઝેવિયર કોલેજમાં અભ્યાસ કર્યા પછી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાંથી તાલીમ લીધી હતી. 1972માં સતીશ શાહે ડિઝાઇનર મધુ શાહ સાથે લગ્ન કર્યા હતા.સતીશ શાહે પોતાના કારકિર્દીની શરૂઆત બોલિવુડ ફિલ્મ ભગવાન પરશુરામથી કરી હતી. ત્યારબાદ અરવિંદ દેસાઈની અજીબ દાસ્તાન, ગમન, ઉમરાવ જાન, શક્તિ, જાને પણ દો યારોઁ, વિક્રમ બેતાલ જેવી અનેક ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ તેમનો દબદબો અલગ જ રહ્યો છે. 1984માં આવેલ તેમનો સિટકોમ યહ જો હૈ જિંદગી આજે પણ લોકપ્રિય છે. આ શોના 55 એપિસોડમાં તેમણે 55 જુદા જુદા પાત્રો ભજવ્યા હતા. ત્યારબાદ 1995માં આવેલ ફિલ્મી ચક્કરમાં તેમણે પ્રકાશની ભૂમિકા ભજવી હતી.આ પછી સારાભાઈ વર્સેસ સારાભાઈમાં તેમનું અને અભિનેત્રી રત્ના પાઠક શાહનું જોડાણ દર્શકોને ખૂબ ગમ્યું હતું. બંને વચ્ચેની નોકઝોક અને મસ્તી લોકોને આજે પણ યાદ છે.ભગવાન સતીશ શાહની આત્માને શાંતિ આપે અને તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *