Cli

સલમાને ઐશ્વર્યા રાયના ભત્રીજા પર પ્રેમ વરસાવ્યો, ફિલ્મને સપોર્ટ કરવા આવ્યો!

Uncategorized

ઐશ્વર્યા ના ભાણેજ પર સલમાને લૂંટાવ્યો પ્રેમ. અગસ્ત્યાની ફિલ્મને સપોર્ટ કરવા પહોંચ્યા ભાઈજાન. દબંગ અંદાજમાં સલમાનની એન્ટ્રી થઈ. ધર્મેન્દ્રની તસવીર જોઈને એક્ટર ભાવુક થઈ ગયા. સોશિયલ મીડિયા પર ફરી એકવાર સલમાન અને ઐશ્વર્યાનું નામ જોડાયું.ફિલ્મ 21 અનેક કારણોસર ખાસ છે. પહેલું તો આ ફિલ્મ એક રિયલ લાઈફ હીરોની કહાની પર આધારિત છે.

બીજું, આ અમિતાભ બચ્ચનના નાતી અગસ્ત્ય નંદાની પહેલી થિયેટર રિલીઝ છે. અને ત્રીજું, આ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ છે. સુપરસ્ટાર ધર્મેન્દ્રનું 24 નવેમ્બર 2025ના રોજ નિધન થયું હતું.ગઈકાલે સાંજે મુંબઈમાં ફિલ્મ 21ની ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં બોલીવૂડની ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી.

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ અને બોબી દેઓલ પણ સ્ક્રીનિંગમાં આવ્યા હતા અને આ દરમિયાન તેઓ ભાવુક પણ નજર આવ્યા હતા.જ્યારે સલમાન ખાનની એન્ટ્રી થઈ ત્યારે આખું માહોલ બદલાઈ ગયું. તેઓ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મના સાક્ષી બનવા આવ્યા હતા. પોસ્ટર જોઈને સલમાન ખુબ જ ભાવુક લાગ્યા. આ વચ્ચે ફરી એકવાર સલમાન અને ઐશ્વર્યાનું નામ જોડાવા લાગ્યું. હવે તમે વિચારતા હશો કે આખરે મામલો શું છે.હકીકતમાં ફિલ્મ 21ના મુખ્ય અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ અગસ્ત્યા નંદા છે, જે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લાડલા ભાણેજ છે. અને જ્યારે સલમાન ખાન અગસ્ત્યાની ફિલ્મને સપોર્ટ કરવા પહોંચ્યા,

ત્યારે લોકોએ ફરી એકવાર સલમાન અને ઐશ્વર્યાનું નામ જોડવાનું શરૂ કરી દીધું.પરંતુ હકીકત એ છે કે ભલે આ ફિલ્મ અગસ્ત્યાની પહેલી થિયેટર રિલીઝ હોય, પરંતુ આ ફિલ્મ હંમેશા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ તરીકે ઓળખાશે. અને પોતાના પિતા સમાન ધર્મેન્દ્રને છેલ્લી વાર મોટા પડદા પર જોવા માટે જ

સલમાન ખાન 21ની સ્ક્રીનિંગમાં આવ્યા હતા. તેથી સલમાનની હાજરીને અગસ્ત્ય સાથે જોડવી બિલકુલ ખોટું છે.વિડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. નેટિઝન્સે સલમાનની હાજરીને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ તરીકે જોઈ હતી. આ દરમિયાન ધર્મેન્દ્રનો પોસ્ટર જોઈને સલમાન ખૂબ ભાવુક થઈ ગયા હતા.

તેમની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. તેમણે ધર્મેન્દ્રના પોસ્ટર સાથે અનેક તસવીરો પણ ખેંચાવી. આ દરમિયાન તેમણે એક શબ્દ પણ બોલ્યો નહોતો, પરંતુ તેમના એક્સપ્રેશન્સે ફેન્સના દિલ જીતી લીધા હતા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તેઓ ધર્મેન્દ્રને કેટલો પ્રેમ કરતા હતા અને તેમનું નિધન તેઓ હજી સ્વીકારી શક્યા નથી.જણાવી દઈએ કે સલમાન ખાન માટે ધર્મેન્દ્ર પિતાસમાન હતા. તેમના અંતિમ સંસ્કારમાં પહોંચનારાઓમાં સલમાન પહેલા લોકોમાં સામેલ હતા. બિગ બોસ 19ના ફિનાલેમાં પણ સલમાને ધર્મેન્દ્રને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે કહ્યું હતું કે ધર્મેન્દ્ર તેમના માટે પિતાસમાન હતા અને તેઓ તેમના રોલ મોડલ હતા. તેમણે કહ્યું હતું કે ધર્મ જી જેવા કોઈ બની શકે નહીં.ફિલ્મ 21 સિનેમાઘરોમાં 1 જાન્યુઆરી 2026ના રોજ એટલે કે નવા વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અગસ્ત્યા, દિવંગત ધર્મેન્દ્ર અને જયવીર અહલાવત મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે.બ્યુરો રિપોર્ટ ઈ2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *