બોલીવુડના અભિનેતા Rajpal Yadavના કેસમાં તેમના વકીલે મીડિયા સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી છે.રાજપાલ યાદવ કોર્ટના આદેશ મુજબ સંપૂર્ણ રકમ ચૂકવવા તૈયાર હતા. તેમના વકીલ મુજબ તેમણે સામે પક્ષને પૈસા આપવાની ઓફર પણ કરી હતી, પરંતુ સામે પક્ષે તે રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટના આદેશ મુજબ આગળ વધવા માટે પણ સામે પક્ષ તૈયાર નહોતું
એવું વકીલે આરોપ લગાવ્યો છે.આ કેસ Murli Projects કંપની દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે રાજપાલ યાદવને જેલ જવું પડ્યું છે. વકીલ ભાસ્કર ઉપાધ્યાયે જણાવ્યું કે તેમની બેલ અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સામે પક્ષે તેનો જવાબ આપ્યો નહોતો. તેથી બેલ હિયરિંગ સોમવાર સુધી મુલતવી રાખવી પડી.વકીલે વધુમાં કહ્યું કે તેઓ કોર્ટમાં રકમ જમા કરાવવા માટે ચેક લઈને આવ્યા હતા અને કોર્ટને સંપૂર્ણ ડિપોઝિટ કરવા માટે તૈયાર છે.
તેમણે એ પણ સ્વીકાર્યું કે બોલીવુડ ઈન્ડસ્ટ્રી તરફથી મદદ મળી રહી છે, પરંતુ કેટલી રકમ મળી છે તે અંગે ખુલાસો કર્યો નથી.મુરલી પ્રોજેક્ટ્સનું કહેવું છે કે રાજપાલ યાદવે સાત ચેક આપ્યા હતા અને દરેક ચેક ₹1.5 કરોડનો હતો, જે બાઉન્સ થયા હતા. દરેક ચેક બાઉન્સ બદલ 3 મહિનાની સજા અને ₹1.35 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ મળીને મોટી રકમ ચૂકવવાની હતી.2024માં રાજપાલ યાદવે મામલો સેટલ કરવાની વાત કરી હતી અને મિડિએશન માટે કેસ મોકલાયો હતો.
કોર્ટ દ્વારા સમય આપવામાં આવ્યો હતો. રાજપાલ યાદવે ₹75 લાખ જમા કરાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ન તો સંપૂર્ણ રકમ ચૂકવી અને ન તો નિયમિત રીતે કોર્ટમાં હાજર રહ્યા.2 ફેબ્રુઆરીએ કોર્ટએ તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. વધુ સમય માંગવા છતાં કોર્ટએ મંજૂરી આપી નહોતી અને તેમને જેલમાં હાજર થવાનું કહ્યું હતું.
હવે રાજપાલ યાદવે નવી લીગલ ટીમ રાખી છે અને તાજી બેલ અરજી દાખલ કરી છે.તેમણે બેલ અરજીમાં કારણ આપ્યું છે કે તેમની ભાણીનું લગ્ન છે, તેથી તેમને તાત્કાલિક જામીન જોઈએ છે. હવે 16 ફેબ્રુઆરીએ તેમની બેલ પર સુનાવણી થવાની છે.હાલમાં બોલીવુડ તરફથી મદદ મળી રહી હોવાનો દાવો છે, પરંતુ ચોક્કસ કેટલા પૈસા મળ્યા છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.