લગ્નના 8 વર્ષ બાદ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા અલગ થઈ રહ્યા છે તેવી અફવાઓ પર હવે ખુદ પ્રિન્સે મૌન તોડ્યું છે. સેપરેશનની સચ્ચાઈ સામે આવતા જ ફેન્સ ચોંકી ગયા છે. પત્નીને લઈને પ્રિન્સે જે વાત કહી, તે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. બંનેની મુલાકાત બિગ બોસ રિયાલિટી શોમાં થઈ હતી.
ત્યાંથી મિત્રતા શરૂ થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ. ત્યારબાદ 12 ઓક્ટોબર 2018ના રોજ બંનેએ લગ્ન કરી પોતાના સંબંધને નામ આપ્યું.ગયા વર્ષે એટલે કે 2025માં બંને અલગ થઈ રહ્યા છે એવી અફવાઓએ ફેન્સને હચમચાવી દીધા હતા. પ્રિન્સ અને યુવિકા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે આ તમામ ચર્ચાઓ વચ્ચે પ્રિન્સે એક ઈન્ટરવ્યુમાં સેપરેશન અને તલાકની અફવાઓ પર ખુલાસો કર્યો છે.પ્રિન્સે કહ્યું કે દરેક પતિ-પત્નીના જીવનમાં મુશ્કેલ સમય આવે છે.
એવો સમય તેમના અને યુવિકાના જીવનમાં પણ આવ્યો હતો. બંનેએ સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને લોકોએ ખોટો અર્થ કાઢ્યો. તેમણે માત્ર પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેઓ બંને સમજદાર છે અને ઈચ્છતા તો તે સમયે સ્પષ્ટતા આપી શકતા, પરંતુ એવું કર્યું નહીં.વાતચીતમાં આગળ પ્રિન્સે જણાવ્યું કે તેમણે ક્યારેય અલગ થવાની વાત કરી નથી અને ન તો ક્યારેય એવું વિચાર્યું છે. માતા-પિતા વચ્ચે પણ ઝગડા થતા રહે છે.
આપણે બધા પોતાના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે ઝગડીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે અલગ થઈ જઈએ. પતિ-પત્ની વચ્ચે ઝગડો થવો સામાન્ય બાબત છે.ઉલ્લેખનીય છે કે પ્રિન્સ પહેલા યુવિકાએ પણ નિવેદન આપી આ તમામ અફવાઓને નકારી હતી. રિપોર્ટ્સ મુજબ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી જલ્દી જ એક સાથે ધ 50 શોમાં જોવા મળશે, જેને લઈને ફેન્સ ખૂબ ઉત્સાહિત છે.પ્રિન્સના આ નિવેદન બાદ તેમના ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી છે
અને સૌએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની લવ સ્ટોરી બિગ બોસ 9થી શરૂ થઈ હતી, જ્યાં બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને પછી આ પ્રેમ લગ્નમાં બદલાયો.12 ઓક્ટોબર 2018ના રોજ લગ્ન કર્યા બાદ છ વર્ષ પછી બંનેએ પોતાની લાડકી દીકરી એક્લીનનું સ્વાગત કર્યું. થોડા સમય પહેલા તેમણે દીકરીનો ચહેરો ફેન્સને બતાવ્યો હતો, જેના બાદ એક્લીનની ક્યૂટનેસ પર ફેન્સ ફિદા થઈ ગયા હતા. હાલ આ કપલના ચાહકો તેમના મજબૂત સંબંધને જોઈને ખૂબ ખુશ નજર આવી રહ્યા છે.