Cli

એ ગામ જ્યાં ‘જ્ઞાતિ’ પૂછવી ગુના સમાન છે, પૂછો તો શું થાય?

Uncategorized

મહારાષ્ટ્રના એક ગામમાં અત્યંત બિરદાવનારું પગલું લેવાયું છે.રાજ્યના અહિલ્યાનગરના નેવાસામાં આવેલા સૌંદાળાગામના લોકોએ એક ઉદાહરણરૂપ કામ કરી બતાવ્યું છે.આ ગામને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કરાયું.એક તરફ જ્ઞાતિના વાડાને વધુ મજબૂત કરવાના પ્રયાસો જોરશોરથી ચાલી રહ્યા છે, ત્યાં આ ગામે પોતાના આ પગલાથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.5 ફેબ્રુઆરીએ ખાસ ગ્રામસભામાં આ ઠરાવ પસાર કરાયો.આ ઠરાવમાં શું કહેવાયું છે?

મહારાષ્ટ્ર રાજ્યના Ahilyanagar district જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું સોંડાળા ગામે સર્વસંમતિથી ઐતિહાસિક ઠરાવ પસાર કરી પોતાને ‘જાતિમુક્ત’ જાહેર કર્યું છે. ગામનો નારો છે – “માઝી જાત માનવ”, એટલે કે “મારી જાત – માનવતા”.આ ઠરાવ મુજબ ગામમાં જાતિ, ધર્મ, પંથ કે વંશના આધારે કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવે. તમામ રહેવાસીઓ સમાન ગણાશે અને માનવતા જ એકમાત્ર ધર્મ માનવામાં આવશે. આશરે 2,500ની વસ્તી ધરાવતું આ ગામ અહિલ્યાનગરથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલું છે. છેલ્લા દાયકામાં અહીં કોઈ મોટી જાતિ આધારિત ઘટના નોંધાઈ નથી.

ગામના સરપંચ શરદ અર્ગડેએ જણાવ્યું કે સમાજમાં વધતી નફરત અને વિભાજનને ધ્યાનમાં રાખીને આ પગલું ભરાયું છે. તેમણે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં લોકો ખરીદી કરતાં પહેલા દુકાનદારની જાતિ પૂછે છે, પરંતુ તેઓ ઇચ્છતા નથી કે આવી માનસિકતા તેમના ગામ સુધી પહોંચે.ગામમાં આશરે 65 ટકા જનરલ કાસ્ટના મરાઠા, 20 ટકા અનુસૂચિત જાતિના લોકો, 15-20 ખ્રિસ્તી અને થોડા મુસ્લિમ પરિવારો રહે છે. છતાં, અહીં લાંબા સમયથી સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહ્યું છે.

ગામમાં આશરે 65 ટકા જનરલ કાસ્ટના મરાઠા, 20 ટકા અનુસૂચિત જાતિના લોકો, 15-20 ખ્રિસ્તી અને થોડા મુસ્લિમ પરિવારો રહે છે. છતાં, અહીં લાંબા સમયથી સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહ્યું છે.ઠરાવમાં સ્પષ્ટ કરાયું છે કે ગામના તમામ જાહેર સ્થળો, સરકારી સેવાઓ, પાણીના સ્ત્રોતો, મંદિરો, શ્મશાન, શાળાઓ અને સામાજિક કાર્યક્રમો સૌ માટે ખુલ્લા રહેશે. સોશિયલ મીડિયા પર જાતિ આધારિત તણાવ ફેલાવતી પોસ્ટ્સ સામે પણ ગામ સ્તરે કાર્યવાહી કરવામાં આવશે.

ગામની પ્રાથમિક શાળાના બાળકોમાં ભેદભાવ જોવા મળતો નથી. પાંચમી ધોરણની વિદ્યાર્થીની ગૌરી ભંડે જણાવ્યું કે ધાર્મિક પાઠ દરમિયાન તેની મુસ્લિમ સખી મહિરા સૈયદ પણ તેની સાથે જમતી હોય છે. “ખ્રિસ્તી, મુસ્લિમ, મરાઠા બધાના અધિકારો સમાન છે” એમ તેણે જણાવ્યું.શાળાના શિક્ષક અશોક પંડિતે કહ્યું કે બાળકો હાલ ભેદભાવ કરતા નથી, પરંતુ તેઓ ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે ગામ બહાર જશે. બહારની દુનિયામાં નફરતનો પ્રભાવ પડી શકે છે. જો શાળા સ્તરે જ સમાનતાની ભાવના વિકસાવવામાં આવે તો તેઓ આગળ જતાં પ્રભાવિત નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *