વધતા જતા યુદ્ધ વચ્ચે ઈરાને અચાનક ભારતનો આભાર માન્યો છે. ઈરાને સ્વીકાર્યું છે કે ભારતના કારણે તેના ઘણા સૈનિકોના જીવ બચી ગયા છે અને જો સમયસર ભારતની વાત માનવામાં આવી હોત તો ઈરાનના વધુ સૈનિકોને બચાવી શકાયા હોત. આ સમાચાર ભારત વિરોધી એજન્ડા ચલાવનારાઓ માટે એક જોરદાર તમાચો છે અને ઘણા મુસ્લિમ દેશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
હકીકતમાં, ભારતે ઈરાનના એક યુદ્ધ જહાજ ‘આઈઆરઆઈએસ લવાન’ને અમેરિકી હુમલાથી બચાવી લીધું છે. હિંદ મહાસાગરમાં ફસાયેલા આ જહાજને ભારતે કોચી પોર્ટ પર પોતાની સુરક્ષામાં રાખ્યું છે. જો ભારતે આ જહાજને આશ્રય ન આપ્યો હોત તો અમેરિકી સેનાએ તેને તોડી પાડ્યું હોત, જેવી રીતે થોડા દિવસો પહેલા શ્રીલંકા પાસે ઈરાની વોરશિપ ‘આઈઆરઆઈએસ દેના’ને તોડી પાડવામાં આવ્યું હતું
.તમને યાદ હશે કે ઈરાનનું ‘આઈઆરઆઈએસ દેના’ વોરશિપ વિશાખાપટ્ટનમમાં ‘મિલન’ એક્સરસાઇઝ માટે આવ્યું હતું. જ્યારે આ જહાજ પરત જઈ રહ્યું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં અમેરિકાએ તેને તોડી પાડ્યું. નવાઈની વાત એ છે કે ભારતે તે સમયે પણ આ જહાજને ચેતવણી આપી હતી કે અત્યારે ઈરાન જવું જોખમી છે અને તમે અમારા ત્યાં મહેમાન બનીને રહી શકો છો, પરંતુ તે જહાજના ક્રૂ મેમ્બર્સ માન્યા નહીં અને પરિણામે તેમણે જહાજ ગુમાવવું પડ્યું. આ ઘટના બાદ હવે જ્યારે ભારતે બીજા જહાજને બચાવ્યું છે, ત્યારે ઈરાને નિવેદન આપ્યું છે કે મુશ્કેલ સમયમાં ભારતે જે કર્યું છે તે બંને દેશોની મિત્રતાનો સૌથી મોટો પુરાવો છે.
ઈરાન તો ભારતનો આભાર માની રહ્યું છે, પરંતુ પાકિસ્તાન, તુર્કી અને કતારનું અખબાર ‘અલ જઝીરા’ ભારતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. અલ જઝીરા સવાલ ઉઠાવી રહ્યું છે કે જો પીએમ મોદી હિંદ મહાસાગરના ‘ગાર્ડિયન’ હોવાનો દાવો કરે છે,
તો તેમણે ઈરાનના જહાજને કેમ ન બચાવ્યું? પરંતુ આ ટીકાકારો એ નથી જાણતા કે ગાર્ડિયન હોવાનો અર્થ એ નથી કે ભારત અન્ય દેશોના યુદ્ધમાં કૂદી પડે. ગાર્ડિયનનો અર્થ એ છે કે જો કોઈ જહાજમાં આગ લાગે, કોઈ કુદરતી આપત્તિ આવે અથવા ચાંચિયાઓ જહાજને બંધક બનાવે, તો ભારત તેની મદદ કરશે, અને ભારત આ ભૂમિકા વર્ષોથી નિભાવી રહ્યું છે. નવાઈની વાત એ છે કે અલ જઝીરા એ કતારનું અખબાર છે જેના પર ઈરાન પોતે ડ્રોન હુમલા કરી રહ્યું છે, છતાં ભારત વિરોધમાં તે ઈરાનના જહાજની વાતો કરી રહ્યું છે.શું