Cli

કઈ મોટી અભિનેત્રી સાથે ગોવિંદાનું અફેર હોવા છતાં સુનિતાએ ચૂપચાપ સહન કર્યું!

Uncategorized

ગોવિંદાનો એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધ) આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમની પત્ની મીડિયામાં ઘણું બધું બોલી ચૂકી છે અને હવે તો છોકરીનું નામ પણ સામે આવી ગયું છે – કોમલ. જોકે ગોવિંદાએ આ સંબંધનો નકાર કર્યો છે અને કહ્યું છે કે તે તેની સાથે માત્ર ફિલ્મ કરી રહ્યા છે અને તે બાબતને જ મીડિયામાં વધારી ચઢાવીને કહેવામાં આવી રહી છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ એક્ટરનું નામ તેની સાથે કામ કરતી કો-એક્ટ્રેસ સાથે જોડાયું હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવું બન્યું છે કે જ્યારે કોઈ એક્ટર અને એક્ટ્રેસ સાથે કામ કરે અને તેમની કેમિસ્ટ્રી ખૂબ સારી લાગે, ત્યારે આ પ્રકારની વાતો અને ગપસપ કરવામાં આવતી હોય છે. ઘણીવાર તે સાચું પણ નીકળે છે પરંતુ ઘણીવાર તે માત્ર હવામાં વાતો હોય છે.વાત કરીએ ખાસ કરીને ગોવિંદાની, તો તેઓ 90ના દાયકાના સુપરસ્ટાર રહ્યા છે. દરેક ટોપ એક્ટ્રેસ સાથે તેમણે કામ કર્યું છે. તે સમયમાં પણ તેમનું નામ હિરોઈનો સાથે જોડાયું હતું. એક સમય હતો જ્યારે નીલમ સાથે તેમનું નામ જોડાયું હતું અને ગોવિંદાએ પોતે ઓન-રેકોર્ડ કહ્યું હતું કે

જો સુનીતા સાથે લગ્ન ન થયા હોત તો તેઓ નીલમ સાથે જ લગ્ન કરત. એક સમય એવો પણ આવ્યો જ્યારે ગોવિંદાનું નામ રાની મુખર્જી સાથે જોડાયું અને ચર્ચાઓ ત્યાં સુધી હતી કે ગોવિંદાએ રાની મુખર્જી માટે એક ફ્લેટ પણ લીધો છે અને તેઓ રાની મુખર્જી સાથે લિવ-ઈનમાં રહે છે. આ પ્રકારના સમાચારો અને રિપોર્ટ્સ મીડિયામાં હતા.જે સમયે ગોવિંદાને લઈને આ બધી ખબરો આવી રહી હતી અને ચારેબાજુ મીડિયામાં આ વાતો ચાલતી હતી, ત્યારે આખરે સુનીતા ચૂપ કેમ રહી? જે સુનીતા આજે ગોવિંદાના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈને મીડિયામાં બધે જ બોલી રહી છે (જે અફેર છે કે નહીં તે કોઈને ખબર નથી), તે સુનીતા તે સમયે ચૂપ કેમ રહી? આ સવાલ દરેક વ્યક્તિ જાણવા માંગે છે.પરંતુ હવે તેનો જવાબ આવી ગયો છે. તે સમયે સુનીતા અને ગોવિંદાના સંબંધોને બચાવવા માટે ગોવિંદાના માતા નિર્મલા દેવીજી હાજર હતા.

ગોવિંદા માત્ર ને માત્ર પોતાની માતાનું જ સાંભળતા હતા અને આખી દુનિયામાં તેઓ જો કોઈનાથી ડરતા હોય તો તે તેમની માતા જ હતા. આ જ કારણ છે કે તે દરમિયાન ભલે ગોવિંદાની ચર્ચાઓ થઈ હોય, ભલે તેમના વિશે ગમે તે કહેવાયું હોય અથવા ગોવિંદા કોઈના પ્રેમમાં પડી પણ ગયા હોય, પરંતુ તેઓ પાછા ઘરે લોટી આવ્યા કારણ કે તેમને પોતાની માતાનો સામનો કરવાનો હતો. પોતાની માતાને સાચું કહેવાનું હતું અને માતાની સામે રહેવાનું હતું.

અને કોઈ પણ માતા ક્યારેય નહીં ઈચ્છે કે તેના જીવતેજીવ તેના દીકરાનું ઘર બગડે.તેથી, સુનીતાના જણાવ્યા મુજબ, માતાની ઈચ્છા મુજબ જ ગોવિંદા ચાલ્યા અને ભલે બહાર ગમે તેટલી ચર્ચાઓ થઈ હોય પરંતુ ગોવિંદા ક્યારેય ઘર છોડીને બહાર નીકળ્યા નહીં અને તેમણે પોતાના પરિવાર પર આંચ આવવા દીધી નહીં. પરંતુ હવે જ્યારે માતા નથી, ત્યારે સુનીતાના કહેવા પ્રમાણે ગોવિંદા ‘ખુલ્લા આખલા’ જેવા થઈ ગયા છે અને હવે તેઓ કોઈનાથી ડરતા નથી. તેમની માતા નથી રહી તો ગોવિંદાને કોઈ વાતનો ડર જ નથી. આ જ કારણ છે કે હવે ગોવિંદા પોતાની પત્ની સુનીતાની, પોતાના બાળકોની અને પોતાના ઘર-પરિવારની ચિંતા કરતા નથી અને ઘરના સભ્યો કરતા તેઓ બહારના લોકોનું વધુ સાંભળે છે. એવું સુનીતાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *