Cli
તારક મહેતા શોના દયા ભાભીને ગળાનું કેન્સર ? જેઠાલાલ અને શોના પ્રોડ્યુસર અસિત મોદીએ સચ્ચાઈ...

તારક મહેતા શોના દયા ભાભીને ગળાનું કે!ન્સર ? જેઠાલાલ અને શોના પ્રોડ્યુસર અસિત મોદીએ સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

છેલ્લા કેટલાક દિવસોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂર્વ એક્ટર દયા ભાભી દિશા વાકાણી વિશેના સમાચાર સામે આવ્યા છે અને એ સમાચાર મુજબ એમને ગળાની ગંભીર બીમારી એટલે કે ગળાનું કે!ન્સર હોવાની વાત સામે આવી અને તેનું કારણ એમનો શોમાં અવાજ સતત બદલાય છે.

પરંતુ હવે તેને લઈને સચ્ચાઈ સામે આવી છે હકીકતમાં શોમાં એક સમયે દયા બેનના પતિનો રોલ કરતા જેઠાલાલ એટલે કે દિલીપ જોષી તેમના ભાઈ મયુર વાકાણી અને તારક મહેતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ જેમણે ત્રણેયે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ખોટા હોવાનું સામે આવ્યું છે.

દિશા વંકાણીના ભાઈ મયુર વકાણીએ મીડિયાને જણાવતા કહ્યું કે આવી ઘણી બધી અફવાઓ આવતી રહે છે તેમાં કોઈ સાચું નથી તે સ્વસ્થ અને ખુશ છે સમાચારમાં કોઈ સત્ય નથી અને ખોટા છે દરરોજ તેમના વિશે પાયાવિહોણા સમાચાર સાંભળવા મળે છે અને તેના પર કોઈએ વિશ્વાસ કરવો નહીં.

દિલીપ જોશીએ પણ આ તમામ ખબરો ખોટી ગણાવી છે અને આવી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે શોના નિર્માતા અસિત મોદીએ પણ આ તમામ ખબરોને નકારી છે અને તમામ ખબરો ખોટી હોવાનું જણાવ્યું છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *