Cli

બોલીવુડ પર લાગી કોની બૂરી નજર ? એક પછી એક દિગ્ગજ કલાકારોની તબિયત બગડી!

Uncategorized

બોલીવુડ પર કોણની લાગી છે બૂરી નજર? એક પછી એક મનહૂસ સમાચાર આવી રહ્યા છે. એક પછી એક દિગ્ગજ કલાકારો પર મુશ્કેલીના વાદળો છવાઈ રહ્યા છે. કોઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો છે તો કોઈ હજી પણ દાખલ છે. નવેમ્બરનો મહિનો ફિલ્મ જગત માટે ખૂબ જ ઉથલપાથલભર્યો સાબિત થઈ રહ્યો છે. એવું કહેવું ખોટું નહીં થાય કે એવી એવી ખબરો આવી રહી છે કે લોકો વિચારતા થઈ ગયા છે કે આપણા ફિલ્મ જગતને આખરે કોણની બૂરી નજર લાગી ગઈ છે.મહિનાની શરૂઆતથી જ દિલ તોડી નાખે એવી ખબરો સામે આવી રહી છે.

સૌપ્રથમ ધર્મેન્દ્રની નાજુક હાલતની ખબરથી સનસની મચી ગઈ.લોકો એ સમાચારથી સંભળી પણ નહોતા શક્યા કે 90 વર્ષના પ્રેમ ચોપડાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની ખબર એ બધાને ચોંકાવી દીધા. ચાહકો ધર્મેન્દ્ર અને પ્રેમ ચોપડાના જલ્દી આરોગ્યલાભ માટે પ્રાર્થના કરી રહ્યા હતા, અને એ વચ્ચે જ જરીન ખાનની પ્રેયર મીટમાં 83 વર્ષના જીતેન્દ્ર અચાનક લથડાઈને પડી ગયા. જિતેન્દ્ર એ રીતે પડતા જોઈ સૌના દિલ ધબકીને રહી ગયા.અને પછી 12 નવેમ્બરની સવારે એવી ખબર આવી કે અભિનેતા ગોવિંદાને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એ સાંભળી ચાહકોને વધુ એક મોટો ઝટકો લાગ્યો.

બધા એ વિચારવાનું શરૂ કર્યું કે આખરે ઈન્ડસ્ટ્રીને શું થઈ રહ્યું છે?હવે ચાલો સૌની હાલત જાણીએ —સૌપ્રથમ ધર્મેન્દ્રની વાત કરીએ તો તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને પરિવાર તેમને ઘરે લઈ ગયો છે. હવે તેમનો ઈલાજ ઘરે જ ચાલશે. માહિતી પ્રમાણે ધર્મેન્દ્ર હજી સંપૂર્ણ સ્વસ્થ નથી થયા, તેમની હાલત નાજુક છે પરંતુ થોડું સુધારું આવ્યું છે. સની અને બોબીએ તેમના રૂમને હોસ્પિટલ રૂમમાં ફેરવી દીધો છે જેથી ડૉક્ટર સમયાંતરે તપાસ માટે આવી શકે.

તેજ રીતે 90 વર્ષના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાને પણ 10 નવેમ્બરની રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધર્મેન્દ્ર ઘરે પહોંચી ગયા છે પરંતુ પ્રેમ ચોપડા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓ અને ફેફસામાં ઇન્ફેક્શનને કારણે રુટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ તેમની તબિયતમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે અને થોડા જ દિવસોમાં તેમને ડિસ્ચાર્જ મળી જશે. તેમના જમાઈ વિકાસ ભલ્લાએ જણાવ્યું કે પ્રેમજીને હાલ તેમના મિત્ર ધર્મેન્દ્રની ખૂબ ચિંતા છે અને તેઓ વારંવાર તેમની વાત પૂછે છે

.બીજી તરફ 12 નવેમ્બરની સવારે જ્યારે ધર્મેન્દ્રને ઘરે લઈ જવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે ખબર આવી કે ગોવિંદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 11 નવેમ્બરની રાત્રે ગોવિંદા અચાનક બેભાન થઈ પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક ક્રિટિક હોસ્પિટલમાં લઈ જવાયા. ગોવિંદાના જણાવ્યા મુજબ તેમને માથામાં ભારે દુખાવો અને નબળાઈની ફરિયાદ થઈ હતી. હાલ તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે અને તેઓ ડિસ્ચાર્જ થઈ ઘરે પહોંચી ગયા છે.10 નવેમ્બરે સંજય ખાનની પત્ની જરીન ખાનની શ્રદ્ધાંજલિ સભામાં બોલીવુડના અનેક કલાકારોએ હાજરી આપી હતી, પણ હંગામો ત્યારે મચ્યો જ્યારે જિતેન્દ્ર પડી ગયા. તેમનો વીડિયો વાયરલ થતાં લોકો ચિંતિત થઈ ગયા. ત્યારબાદ તેમના પુત્ર તુષાર કપૂરે જણાવ્યું કે જિતેન્દ્ર હવે ઠીક છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમને ગંભીર ઈજા થઈ નથી અને તેઓ ઘરે આરામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *