Rajpal Yadav અંગે હાલમાં મોટી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ નિર્માતા Priyadarshanએ તેમના વિશે ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે.પ્રિયદર્શનએ કહ્યું કે તેઓ રાજપાલ યાદવને છેલ્લા 20 વર્ષથી ઓળખે છે. તેમણે પહેલી વખત તેને Jungle ફિલ્મમાં જોયો હતો અને તેના અભિનયથી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમની સાથે પહેલી ફિલ્મ Malamaal Weekly બનાવી અને ત્યારથી લગભગ દરેક ફિલ્મમાં રાજપાલ યાદવને સ્થાન આપ્યું છે.પ્રિયદર્શનએ કહ્યું કે રાજપાલ યાદવ સારા માણસ છે, પરંતુ તેમની યોગ્ય રીતે શિક્ષણ ન થવાને કારણે કેટલીક મોટી ભૂલો થઈ ગઈ.
હાલમાં ચેક બાઉન્સ કેસને લઈને તેઓ જેલમાં છે. પ્રિયદર્શનએ સ્વીકાર્યું કે તેમને આ આર્થિક સમસ્યાઓ વિશે ખબર હતી અને તેથી જ તેઓ પોતાની ફિલ્મોમાં તેમને સતત કામ આપતા રહ્યા. આવનારી એક ફિલ્મમાં તો રાજપાલ યાદવે ખલનાયકનો રોલ કર્યો છે અને
પ્રિયદર્શનએ નિર્માતાને કહ્યું છે કે તેમને અગાઉ કરતાં વધુ મહેનતાણું આપવું જોઈએ, કારણ કે તેમને પૈસાની જરૂર છે.ચર્ચા એવી છે કે ‘અતા પતા લાપતા’ ફિલ્મ માટે રાજપાલ યાદવે એક ઓળખીતાથી લગભગ પાંચ કરોડ રૂપિયા લીધા હતા.
વાતચીત મુજબ તે રકમ રોકાણ તરીકે લેવામાં આવી હતી, પરંતુ કરારમાં તેને લોન તરીકે દર્શાવવામાં આવી અને તેમાં ઊંચા વ્યાજ સાથે પરત કરવાની શરત ઉમેરાઈ હતી. કહેવાય છે કે રાજપાલ યાદવે કરાર વાંચ્યા વગર જ સહી કરી દીધી.
ત્યારબાદ નક્કી સમય પર રકમ પરત ન થતાં કાનૂની કાર્યવાહી શરૂ થઈ અને મામલો ગંભીર બન્યો.આ સમગ્ર મામલે પ્રિયદર્શનએ ઈશારો કર્યો કે ગેરસમજ અને અજાણતા લીધેલા નિર્ણયો રાજપાલ યાદવ માટે ભારે પડી ગયા.