રમેશભાઈ એ રમેશભાઈ સમાજના રાજકીય સામાજિક આગેવાનો વડીલો માતાઓ બહેનો યુવા મિત્રો તથા મારા ગુરુજનો આજે હું 21મી સદી રબારી સમાજ પરિવર્તન અને શિક્ષણ વિશે મારા વિચારો વ્યક્ત કરું છું તો આપ ધ્યાનથી સાંભળજો સમય બદલાય છે દુનિયા આગળ વધે છે પરંતુ જો સમાજ એક જ જગ્યાએ ઊભો રહે ને તો તે પરંપરા નથી રહેતી એ બોજ બની જાય છે સમાજમાં પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ફરક સમજાય સમાજમાં પરંપરાએ સંસ્કાર આપે છે અને કુરિવાજો સમાજને ખોખલો કરે છે પરિવર્તન એટલા માટે જરૂરી છે
કે દીકરીને ભાર નહી ગૌરવ સમજવામાં આવે અને શિક્ષણને ખર્ચ નહી ભવિષ્યનું રોકાણ માનવામાં આવે હિન્દુ ધર્મ રબારી સમાજે કોઈ જ્ઞાતિ નથી આ એક સંસ્કૃતિ છે આજે 21મી સદી એ જ્ઞાનની સદી છે આજે આપણો દેશ હરેક ક્ષેત્રોમાં હરણ ફાળ ભરી રહ્યો છે
પરંતુ આ વેગવંતા ધોતમાં આપણો સમાજ ક્યાય પાછો ના રહી જાય તે માટે આપણા સૌની જવાબ જવાબદારી બને છે મિત્રો વિચાર તો કરો આ આપણું રબારી ગોપાલક ટ્રસ્ટ 1975 માં બનાવવામાં આવ્યું અને તેમાં શિક્ષણથી ઓળખાય તેવા દીર્ઘ દ્રષ્ટિવાળા વડીલોને આજે હું નમન કરું છું આપણે અત્યારે જ્યારે આ ભવિષ્ય સમાજ સંકુલમાં ઉપસ્થિત થયા છીએ અને હું તો કહું છું
કે અહી એક રબારી સમાજની યુનિવર્સિટી કેમ ન બને આપણે બધા પૈસે ટકે સુખી સમૃદ્ધ છીએ પરંતુ હવે બીજા સમાજોની હરોળમાં ટકી રહેવું હશે તો જરૂર છે શિક્ષણની આપણી સામે ઘણા બધા પડકારો પણ છે પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા ખમીરવંતા સમાજમાં છે આપણો સમાજ થોડા સમયથી વ્યસન ખોટા દેખાવડા અને અંતશ્રદ્ધા તરફ માટે રસ્તે ચડી ગયો છે
અને આ બધી જ બાબતોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત શિક્ષણ આજના યુગમાં વાત કરીએ તો આપણી જ્ઞાતિ ખૂબ જ ભોળી અને રોયલ બ્લેન્ડ માનવામાં આવે છે એટલે જ એક કવિએ કહ્યું છે કે અમ રબારી નથી ભ્રષ્ટાચારી નથી વ્યભિચારી નથી વિકારી નથી શિકારી નથી મન ભિકારી એજ અમે રબારી આવડતથી અમેરી શાનદાર કુદધારી જાનદાર ખુમારી અમર અવતારી દિલથી દિલધારી એનું નામ જ રબારી અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ સરસ