Cli

શાહરુખ ખાન પર પાકિસ્તાન પ્રેમના આરોપો, બાંગ્લાદેશી ક્રિકેટરને લઈને ઊભો થયો મોટો વિવાદ

Uncategorized

સુપરસટાર શાહરુખ ખાનને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. શાહરુખ ખાન, જે કરોડો ભારતીયોના દિલમાં વસે છે, તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમને પાકિસ્તાન પ્રત્યે ખૂબ લાગણી છે અને જે દેશ ભારતના વિરોધમાં છે, એવા લોકો પ્રત્યે તેઓ સહાનુભૂતિ રાખે છે. આ આરોપ આધ્યાત્મિક નેતા દેવકી નંદન દ્વારા લગાવવામાં આવ્યો છે.

દેવકી નંદને કહ્યું કે શાહરુખ ખાનને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ છે અને તેઓ એવા લોકો તરફ ઝુકાવ રાખે છે જે હિંદુઓને દુઃખ પહોંચાડે છે. તેમણે તાજેતરમાં મુંબઈમાં થયેલી એક કથા દરમિયાન કહ્યું હતું કે મુંબઈના સૌથી મોટા સુપરસ્ટાર શાહરુખ ખાન પોતાની એક ક્રિકેટ ટીમ ચલાવે છે, જેનું નામ કોલકાતા નાઈટ રાઈડર્સ છે.

આ ટીમ માટે તેમણે એક બાંગ્લાદેશી ક્રિકેટરને ૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.દેવકી નંદનનો સવાલ છે કે બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ કેવી છે, તે બધાને ખબર છે. તેમ છતાં શાહરુખ ખાને બાંગ્લાદેશી ક્રિકેટરને ૯ કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ પૈસા ક્યાં વપરાશે અને તેનો ઉપયોગ કેવી રીતે થશે, તેની કોઈને ખબર નથી. તેમણે એવો દાવો કર્યો કે આ પૈસા ભારત વિરુદ્ધ પણ વપરાઈ શકે છે અને તેનો નુકસાન હિંદુઓને થઈ શકે છે.તમને જણાવી દઈએ કે આ વર્ષે ૧૬ ડિસેમ્બરે આઈપીએલ ઓક્શન યોજાયું હતું,

જેમાં કેકેઆરે બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહમાનને ૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ નિર્ણય બાદ અનેક સંગઠનો અને ગ્રુપ્સે શાહરુખ ખાનના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે બાંગ્લાદેશી ક્રિકેટરને ટીમમાંથી બહાર કાઢવો જોઈએ, નહીં તો તેઓ ટીમનો બહિષ્કાર કરશે.આ લોકોનું કહેવું છે કે શાહરુખ ખાન વારંવાર આવી હરકતો કરીને પોતાનું પાકિસ્તાન પ્રત્યેનું પ્રેમ દર્શાવે છે. ક્યારેક પોતાની ફિલ્મો દ્વારા તો ક્યારેક આવી કાર્યવાહી દ્વારા. તેમણે બાંગ્લાદેશમાં રહેતા હિંદુ દીપુ ચંદ્ર દાસની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો, જેને એક જૂથે નિશાન બનાવીને મારી નાખ્યો હતો.

આ ઘટનાને લઈને મીડિયામાં પણ ઘણું ચર્ચાયું હતું.આ ઘટનાના બાદ દેવકી નંદન અને અન્ય અનેક સંગઠનો એકઠા થયા છે અને માંગ કરી રહ્યા છે કે શાહરુખ ખાન બાંગ્લાદેશી ક્રિકેટરને પોતાની ટીમમાંથી બહાર કરે. તેમનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને આપણે ત્યાંના ખેલાડીને પૈસા અને પ્લેટફોર્મ આપી રહ્યા છીએ.

બીજી તરફ, ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ધર્મ અને ક્રિકેટને અલગ રાખવા જોઈએ. તેઓ માને છે કે રમતને રાજકારણ અથવા ધર્મથી દૂર રાખવી જોઈએ. કેટલાકનું કહેવું છે કે દેવકી નંદન એક આધ્યાત્મિક નેતા છે અને તેમને ધર્મ સુધી જ સીમિત રહેવું જોઈએ, ક્રિકેટમાં દખલ ન કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *