Cli

અક્ષય ખન્નાએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? આનું કારણ ઐશ્વર્યા રાય છે?

Uncategorized

અક્ષય ખન્ના બોલીવૂડના એવા એકમાત્ર સ્ટાર કિડ છે જેમને કોઈ સ્ટાર કિડ માનતું નથી. આજ સુધી કોઈએ તેમના પર આંગળી ઉઠાવી નથી. 49 વર્ષના અક્ષય ખન્ના આજે પણ એકલા છે. તેઓ પોતાની જિંદગી તનહાઈમાં જીવી રહ્યા છે. તમે આજ સુધી તેમના અફેર વિશે કોઈ કિસ્સો સાંભળ્યો નહીં હોય. બહુ ઓછા લોકોને ખબર છે કે અક્ષય ખન્નાએ ક્યારેય લગ્ન કેમ કર્યા નથી.ઓછા લોકોને ખબર છે કે ફિલ્મ તાલની શૂટિંગ દરમિયાન અક્ષય ખન્ના અને

ઐશ્વર્યા રાય એકબીજાની નજીક આવી ગયા હતા. પરંતુ આ સંબંધ ક્યારેય શરૂ થઈ શક્યો નહીં. ખુદ એક ઇન્ટરવ્યુમાં અક્ષયે સ્વીકાર્યું હતું કે તેઓ ઐશ્વર્યાના સુંદર ચહેરા પરથી પોતાની નજર હટાવી શકતા નહોતા.આ જ સમયગાળા દરમિયાન અક્ષય ખન્ના માટે કપૂર ખાનદાન તરફથી કરિશ્મા કપૂરનું રિશ્તું પણ આવ્યું હતું.

કરિશ્માના પિતા રણધીર કપૂરે વિનોદ ખન્નાના ઘરે પોતાની દીકરીનું રિશ્તું મોકલ્યું હતું. પરંતુ આ કહાનીમાં વિલન બની કરિશ્માની માતા બબીતા કપૂર. તે સમયે કરિશ્માનો કરિયર શિખર પર હતો અને બબીતા નથી ઈચ્છતી કે કરિયરનાં આ મુકામ પર કરિશ્મા લગ્ન કરે. તેથી તેમણે આ રિશ્તાને ઇનકાર કરી દીધો. આ વાતથી અક્ષયનું દિલ પણ તૂટી ગયું.અક્ષય ખન્નાનો તારા શર્મા સાથે પણ અફેર રહ્યો હતો,

પરંતુ આ સંબંધ પણ વધારે દિવસો સુધી ટકી શક્યો નહીં. વારંવાર સંબંધોમાં નિષ્ફળતા મળ્યા બાદ અક્ષય ખન્નાએ લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો.એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુદ અક્ષયે કહ્યું હતું કે મને નથી લાગતું કે હું કોઈ સંબંધમાં લાંબા સમય સુધી ટકી શકીશ. બીજી વાત એ છે કે મને બાળકો બિલકુલ પસંદ નથી.

એટલે મેં નક્કી કર્યું છે કે હું ક્યારેય લગ્ન નથી કરવાના. હું હંમેશા એકલો જ રહીશ.પહેલા અક્ષય પોતાની માતા ગીતાંજલિ ખન્ના સાથે રહેતા હતા. પરંતુ વર્ષ 2018માં તેમનું પણ અવસાન થયું. ત્યારથી અક્ષય આજે પણ એકલા પોતાની જિંદગી જીવી રહ્યા છે.બ્યૂરો રિપોર્ટ. બોલીવૂડ પર ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *