Cli

ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ શોક કે ઉજવણી? દેઓલ પરિવારે શું નિર્ણય લીધો!

Uncategorized

ધર્મેન્દ્ર નથી રહ્યા, છતાં મનાવવામાં આવશે હીમેનનો 90મો જન્મદિવસ બોલીવુડના હીમેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમનો 90મો જન્મદિવસ પરિવાર અને ચાહકો ધૂમધામથી મનાવવા તૈયાર છે. 24 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રના નિધન પછી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોક છવાયો હતો. જો તેઓ જીવિત હોત,

તો 8 ડિસેમ્બરે પરિવારની હાજરીમાં ભવ્ય રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યા હોત.પરંતુ હવે દેવળ પરિવાર ધર્મેન્દ્રની યાદોને જીવંત રાખવા તેમના 90મા જન્મદિવસને વિશેષ શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ સની દેઓલ અને બોબી દેઓલ પરિવાર સાથે ખંડાલા સ્થિત ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં આ ખાસ દિવસ ઉજવશે.

સૌથી ખાસ વાત એ છે કે ધર્મેન્દ્રના ફેન્સને પણ આ ઉજવણીનો ભાગ બનવાની તક આપવામાં આવશે. પરિવાર ધર્મેન્દ્રના ફાર્મહાઉસના દરવાજા ચાહકો માટે ખોલશે જેથી તેઓ પોતાના પ્રિય સ્ટારને યાદ કરી શકે અને તેમની વારસાને સલામ કરી શકે.

પરિવારના એક નજીકના સ્રોતે જણાવ્યું કે સની અને બોબીને લાગ્યું કે અનેક ફેન્સ ધર્મેન્દ્રને છેલ્લી વાર જોવા અથવા તેમને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છે છે. તે કારણે પરિવાર ફેન્સ માટે ફાર્મહાઉસ ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે,

જ્યાં પરિવાર પણ હાજર રહેશે.તે વચ્ચે, સની, બોબી અને સનીનો પુત્ર કરણ દેઓલ 3 ડિસેમ્બરે હરિદ્વારમાં ગંગા નદીમાં ધર્મેન્દ્રની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. 10 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ધર્મેન્દ્રને થોડી સારો અનુભવાયો હતો, પરંતુ 24 નવેમ્બરે 89 વર્ષની વયે તેમનું નિધન થયું.ધર્મેન્દ્રના જીવન, યાદો અને તેમની વિભુતિને સન્માન આપતી આ ઉજવણી તેમના ફેન્સ માટે એક વિશેષ ક્ષણ બનવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *