Cli

અકબર ખાન પછી, મુમતાઝને પણ ધર્મેન્દ્રના રૂમમાંથી પાછી મોકલી દેવામાં આવી!

Uncategorized

ધર્મેન્દ્રના છેલ્લા દર્શન ફેન્સ કરી શક્યા નહોતા. કારણ કે પરિવારનો નિર્ણય હતો કે તેમનો અંતિમ સંસ્કાર પૂરી રીતે પ્રાઈવેટ રીતે કરવામાં આવે. અહીં સુધી તો વાત સમજાય પણ ધર્મેન્દ્રના સાથી કલાકારો, જેમને તેઓને છેલ્લે મળવું હતું, તેમને પણ અંદર જવાની પરવાનગી આપવામાં આવી નહોતી.

એવો જ બનાવ અકબર ખાન સાથે બન્યો હતો. તેઓ જ્યારે ધર્મેન્દ્રના ઘરે પહોંચ્યા ત્યારે તેમને બહારથી જ પરત મોકલી દેવામાં આવ્યા.હવે અભિનેત્રી મુમતાઝે પણ પોતાના સાથે થયેલો બનાવ શેર કર્યો છે. વેટરન એક્ટ્રેસે કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે ધર્મેન્દ્રની તબિયત ગંભીર છે,

તેઓ આઈસીયૂમાં છે અને વેન્ટિલેટર પર છે, ત્યારે તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સ્ટાફે તેમને કહ્યું કે ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર છે અને કોઈને પણ મળવાની પરવાનગી નથી. તેમ છતાં મુમતાઝ હોસ્પિટલમાં અડધો કલાક બેઠી રહી—આ આશામાં કે કદાચ તેમને ધર્મેન્દ્રને એક નજર જોવાનો મોકો મળી જાય.

તેમણે વિચાર્યું કે મળ્યા વિના તો અહીંથી નથી જવાનું, પરંતુ અંતે તેમને મળ્યા વિના જ પાછા ફરવું પડ્યું.મુમતાઝે આ પણ જણાવ્યું કે તેમની છેલ્લી મુલાકાત 2021માં ધર્મેન્દ્રના જુહૂના ઘરમાં થઈ હતી. તેમણે કહ્યું કે તેમને હેમા માલિની અને સમગ્ર પરિવાર માટે ખૂબ દુખ થઈ રહ્યું છે.

હેમા માલિની હંમેશા ધર્મેન્દ્ર માટે સમર્પિત રહી છે અને હું સમજી શકું છું કે ધર્મેન્દ્રના અવસાનથી તેમને કેટલો મોટો ધક્કો લાગ્યો હશે. હેમા માલિની ધર્મેન્દ્રને બહુ પ્રેમ કરતી હતી.આ રીતે મુમતાઝે પોતાના મિત્ર અને સાથી કલાકાર ધર્મેન્દ્રને યાદ કર્યા. મુમતાઝ એકલી નહીં, એવી ઘણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ હતી જેઓ ધર્મેન્દ્રજીને મળવા માંગતા હતા, પરંતુ તેમને પણ પરવાનગી આપવામાં આવી નહોતી. આ ઉપરાંત કેટલાક દૂરના સગાંસંબંધીઓ અને મિત્રો પણ લાંબી મુસાફરી કરીને આવ્યા હતા, છતાં તેઓને પણ ધર્મેન્દ્રને મળવાનો મોકો ન મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *