Cli

“હું ક્યાંય જવાનો નથી, જલ્દી પાછો આવીશ” ICUમાંથી ધર્મજીએ આ છેલ્લો ફોન કર્યો

Uncategorized

ધર્મેન્દ્ર પોતાની 98મી જન્મતારીખના 15 દિવસ પહેલાં જ ચાલ્યા જશે એવી કલ્પના ન તેમના પરિવારે કરી હતી અને ન જ ધર્મપાલજીએ હોસ્પિટલમાં હિંમત હારી હતી. હકીકતમાં જ્યારે તેઓ બ્રિજ કેન્ડી હોસ્પિટલના ICU માં હતા અને ધીમે ધીમે સાજા થઈ રહ્યા હતા ત્યારે

તેઓ પોતાના સહકર્મીઓ, મિત્રો અને તેમના પરિવારો સાથે સતત જોડાયેલા હતા.ધર્મેન્દ્ર જ્યારે ICU માં હતા અને તેમને ખબર પડી કે તેમના મિત્ર પંકજ ધીરનું નિધન થઈ ગયું છે ત્યારે તેમણે આઈસીયૂમાંથી જ પંકજ ધીરની પત્નીને ફોન કર્યો હતો, તેમની સાથે વાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી.

લેટ પંકજ ધીરના પુત્ર નિકેતન ધીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે ધર્મજી એ ICUથી કોલ કર્યો હતો. મારી માતા સાથે તેમણે વાત કરી હતી અને તેમને ધીરજ આપી હતી. સાથે તેમણે એટલું પણ કહ્યું હતું કે મારી તબિયતની ચિંતા ન કરશો. હું જલ્દી ઠીક થઈને પાછો આવી જઈશ.ધર્મપાલજીનું જવું નિકેતન માટે વ્યક્તિગત નુકસાન જેવું છે.

નિકેતને એ પણ કહ્યું કે જ્યારે પણ હું મારા પિતા પાસે પૂછતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વકાળનો શ્રેષ્ઠ હીરો કોણ છે તો મારા પિતા એક ક્ષણ પણ વિચારે વગર ધર્મેન્દ્રનું જ નામ લેતા. તેઓ સૌથી હંબલ હતા. સૌથી હેન્ડસમ હતા. તેમનું દિલ સોનાથી પણ શુદ્ધ હતું.

તેઓ સાચા અને નિખાલસ માણસ હતા. તેમની અંદર જરા પણ દેખાવો ન હતો.નિકેતન ધીરના આ લખાણને વાંચીને ફેન્સ વધુ ઇમોશનલ થઈ ગયા છે અને એ જ કહી રહ્યા છે કે હોસ્પિટલમાં પણ ધર્મજીનો જજ્બો એવો હતો કે તેઓ પૂરેપૂરા સાજા થઈને પાછા આવશે. હકીકતમાં તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પણ આવી ચૂક્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *