Cli

ન્યાયાધીશ સૂર્યકાંત કોણ છે? જાણો તેમની સંપતિ અને પરિવાર વિશે

Uncategorized

ભારતના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સુર્યકાંત સોમવાર, એટલે કે આજે 24 નવેમ્બરે દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે. તેઓ જસ્ટિસ બી.આર. ગવઈના સ્થાને કાર્યભાર સંભાળશે અને તેમનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી 2027 સુધી રહેશે.

સુપ્રીમ કોર્ટમાં પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતા નિર્ણયો આપ્યા છે. હવે ચાલો જાણીએ — જસ્ટિસ સુર્યકાંત કોણ છે અને તેમના 10 મોટા નિર્ણયો કયા છે.હરિયાણાના હિસારમાં 10 ફેબ્રુઆરી 1962ના રોજ જન્મેલા જસ્ટિસ સુર્યકાંત સામાન્ય પરિવારમાંથી નીકળી દેશની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે.

તેમણે શરૂઆતમાં હિસારમાં વકીલાત કરી અને બાદમાં પંજાબ–હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ રાખી. વર્ષ 2018માં તેમને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જસ્ટિસ સુર્યકાંતના પિતાનું નામ મદનલાલ શાસ્ત્રી છે, જે એક શિક્ષક હતા. તેમના મોટા ભાઈનું નામ ઋષિકાંત છે. જસ્ટિસ સુર્યકાંતને બે દીકરીઓ છે.મિડિયા રિપોર્ટ્સ અને તેમની જાહેર નોંધ મુજબ તેમનો કુલ નેટવર્થ અંદાજે 8 થી 10 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોઈ શકે છે.જસ્ટિસ સુર્યકાંતના 10 મોટા નિર્ણયો

1. અનુચ્છેદ 370 પર ઐતિહાસિક નિર્ણયતે પાંચ જજોની બંધારણીય પીઠનો ભાગ હતા, જેમાં जम्मુ–કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય માન્ય ઠરાવવામાં આવ્યો હતો.2. દેશદ્રોહ કાયદા પર રોકદેશદ્રોહ કાયદાને ફરી વિચારવા અને તેની અમલવારી પર રોક સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયમાં તેઓ જોડાયા હતા.3. પેગાસસ જાસૂસી મુદ્દોપેગાસસ સ્પાયવેર વિવાદની તપાસ માટેની કાર્યવાહી અને સુનાવણીમાં તેઓની અગત્યની ભૂમિકા રહી હતી

.4. બિહાર મતદાર યાદી વિવાદબિહારના મતદાર યાદી સંબંધિત મહત્વપૂર્ણ કેસની સુનાવણીમાં પણ તેઓ જોડાયેલા હતા.5. મહિલાના હકો અને સ્થાનિક સ્વરાજ્યમહિલાઓને સ્થાનિક સંસ્થાઓમાં સશક્તિકરણ આપતા મહત્વના નિર્ણયોનો ભાગ રહ્યા હતા.6. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની શક્તિઓ પર વિચારણાતેઓ તે બંધારણીય પીઠના સભ્ય છે જે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર નિર્ણય કરી રહી છે.

7. PM મોદી સુરક્ષા ચૂક મામલો (2022)પંજાબ મુલાકાત દરમિયાન PM મોદીની સુરક્ષા ચૂકની તપાસ માટે જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો.8. વન રેન્ક વન પેન્શન (OROP)OROP મુદ્દા પરની મહત્વપૂર્ણ સુનાવણીમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

9. મહિલાના અધિકારો પર મજબૂત અભિગમમહિલાઓના અધિકારોના વિસ્તરણ, સુરક્ષા અને સમાનતા માટેના અનેક કેસોમાં તેમણે સખત અને પ્રગતિશીલ અભિગમ દાખવ્યો છે.10. રણવીર ઇલાહાબાદિયા કેસરણવીર ઇલાહાબાદિયા સંબંધિત મહત્વપૂર્ણ કેસની સુનાવણી અને તેમાં લેવાયેલા નિર્ણયોનો તેઓ એક અગત્યનો ભાગ રહ્યા હતા.આ રીતે જસ્ટિસ સુર્યકાંત અનેક ઐતિહાસિક અને દેશના ભવિષ્યને અસર કરતા નિર્ણયો સાથે સંકળાયેલા રહ્યા છે.ફિલહાલ આટલું જ. તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર લખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *