દેવભૂમિ દ્વારકામાં આવેલું આ દ્વારધીશનું મંદિર આવેલું છે હજારોની શખ્યાંમાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે અહીં દરેક ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવતા હોય છે અને જો સાચી શ્રદ્ધા હોય તો સો ટકા મનોકમના પુરી થાય છે. આ મંદિરે અનેક ચમત્કાર જોવા મળતા હોય છે જ્યારે થોડા સમય પહેલાજ અહીં એક ઘટના બની હતી જેમાં મંદિર ઉપર વીજળી પડી હતી ત્યારે પણ કઈ નુકશાન થયું નહતું. આવા અનેક પરચા અહીં દ્વારધીશના જોવા મળતા હોય છે પણ અહીં હમણાં એક સાથે બે ધજાઓ જોવા મળી હતી એ બે ધજા શા માટે ચડાવવામાં આવી એની પાછળ એક રહ્યસ્ય હતું
તમે ગમે ત્યાં મંદિરે જતા હસો ત્યાં એક ધજા ઉતારીને પછીજ બીજી ધજા ચડાવવામાં આવે છે. પણ અહીં હમણાં દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધજા જોવા મળી હતી આની પાછળ નું એક કારણ હતું વરસાદ અને વાવાઝોડાના અસર ના કારણે અડધી કાઠીએ ધજા ફરકાવામાં આવી હતી. જયારે અત્યારના સમયમાં ખુજબ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી
હમણાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે અને જ્યારે ગુલાબ નામના વાવઝોડાના અસર ના કારણે ભારે વરસાદ અને પવન પણ ચાલુ છે એવા સમયે દેવભૂમિ દ્વારકા માં ભારે વરસાદ અને પવન ના કારણે ટોચ ઉપરની ધજાને ઉતર્યા વગરજ ધજા અડધી કાઠીએ ફરકાવામાં આવી હતી જે આ અદ્દભૂત પ્રસંગ ભાગ્યેજ જોવા મળતો હોય છે. જ્યારે આ ધજા ભક્તો દ્વારા રોજ ચડાવવમાં આવતી હોય છે