Cli

કર્ણની આ એક ભૂલના કારણે 16 દિવસ પિતૃશ્રાધ્ધ મનાવવામાં આવે છે…

Uncategorized

અત્યારે 16 દિવસ સુધી પિતૃશ્રાધ્ધ મનાવવામાં આવે છે આ પિતૃશ્રાધ્ધમાં આપણા ધર્મ મુજબ આપણા પૂર્વજોને યાદ કરવામાં આવે છે અને પૂર્વજોના આત્મને શાંતિ મળે એનું શ્રાદ્ધ કરવામાં આવે છે. પણ તમને એ ખબર નહિ હોય કે આ પિતૃશ્રાધ્ધ મનાવવાનું ક્યારનું ચાલુ થયું બહુ ઓછા લોકો જાણતા હશે કે આ દાનવીર કર્ણની એક ભૂલના કારણે 16 દિવસનું શ્રાદ્ધ મનવવામાં આવે છે આ પરંપરા આ કર્ણ ના કારણેજ ચાલુ થઈ હતી તો આવો જાણીએ કર્ણની એ કઈ ભૂલ હતી

દાનવીર કર્ણ દાનવીર તરીકે જાણીતા હતા અને જીવનભર તેમણે ગરીબો અને જરૂરિયાતમંદોને પૈસા અને સોનાનું દાન કર્યું હતું. તેમણે પોતાના દર પર આવનાર કોઈ પણ વ્યક્તિને પૈસા આપ્યા વગર પાછા ફરવા દીધા નહીં પરંતુ કર્ણે તેમના જીવનકાળ દરમિયાન ખોરાકનું દાન કર્યું નહીં. છેલ્લી ક્ષણે જ્યારે કર્ણ મૃત્યુની ભૂમિ છોડીને સ્વર્ગમાં પહોંચ્યો ત્યારે તેને ઘણું સોનું આપવામાં આવ્યું અને ખાવા માટે કંઈ નહોતું. જ્યારે કર્ણે ભગવાન ઈન્દ્રને આનું કારણ પૂછ્યું ત્યારે દેવરાજ ઈન્દ્રએ કહ્યું કે તેમણે આજીવન સોનું દાન કર્યું છે અને પૂર્વજોની આત્માની શાંતિ માટે અન્ય કોઈ દાન ક્યારેય કર્યું નથી તેથી તેમને ભોજન આપવામાં આવ્યું ન હતું. ત્યારે કર્ણે આ અંગે પસ્તાવો કર્યો અને કહ્યું કે હું અન્ન દાનના મહત્વથી જાણકારી નહોતી.

જ્યારે કર્ણને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેને પોતાની ભૂલ સુધારવા માટે એકવાર 16 દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો આ 16 દિવસોમાં કર્ણે પોતાના પૂર્વજોને યાદ કરીને તર્પણ કર્યું અને ભૂખ્યા અને ગરીબોને ભોજનનું દાન કર્યું અને પછી સ્વર્ગમાં ગયા. એવું માનવામાં આવે છે કે ત્યારથી 16 દિવસ સુધી પિતૃશ્રાધ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી રહી છે અને આ સમય દરમિયાન લોકો તેમના પૂર્વજોને યાદ કરીને તહેવારનું આયોજન કરે છે. અને પિતૃશ્રાધ્ધ દરમિયાન કોઈ પણ ભિખારી આવે તો એને ખાલી હાથે ના જવા દેવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *